About Us

About Lalchuda Kadva Patidar Trust

શ્રી લાલચુડા કડવા પાટીદાર સમાજ દ્વારા સ્થાપિત તેમજ સંચાલિત કડવા પાટીદાર કેળવણી મંડળ સમાજની વિવિધ પ્રવૃતિઓનાં સંચાલનનું મધ્યબિંદુ છે. જે મંડળની સ્થાપના અને સંચાલનનો ૭૫ વર્ષનો ઇતિહાસ ખુબજ માર્ગદર્શક અને પ્રેરણાત્મક છે. જેની સ્થાપના સમાજનાં દીર્ઘદ્રષ્ટા વડીલો દ્વારા ૯ ડિસેમ્બર ૧૯૪૫ નાં રોજ કરવામાં આવેલ છે.
અહીં ટૂંકમાં તેના સ્થાપના કાળથી આજ પર્યંતની વિગતો ટૂંક માં રજુ કરી છે, જે આપને વિદિત થાય. સમાજ અગ્રણી એવા સ્વ. શ્રી નાથુભાઈ ભગાભાઇ પટેલ - મુલદ, સ્વ શ્રી વેણીલાલ પરષોત્તમભાઇ પટેલ - રૂંઢ, સ્વ. બાલુભાઈ કાલિદાસ પટેલ - સિથાણ, સ્વ. કાલિદાસ લલ્લુભાઇ પટેલ - છાપરાભાઠા તેમજ અન્ય અગ્રણીઓ દ્વારા આ માટેનું પ્રયમ વિચારમંથન સારું થયું. તેમજ મંડળની સ્થાપના માટેનું પ્રથમ બંધારણ તૈયાર કરી કામરેજ તાલુકાના કઠોર મુકામે સર્વે જ્ઞાતિજનોની સભામાં તેને સર્વ સંમતિથી પસાર કરી મંડળની રચનાનો ઐતિહાસિક નિર્યણ થયો તે દિવસ એટલે ૯ ડિસેમ્બર ૧૯૪૫. તેમજ મંડળના સ્થાપક પ્રમુખ તરીકે સ્વ. નાથુભાઈ ભગાભાઇ પટેલની અધ્યક્ષતામાં ૧૬ સભ્યોની વ્યવસ્થાપક કમિટીની રચના કરવામાં આવી.

ઉપપ્રમુખ તરીકે રૂંઢના સ્વ. વેણીલાલ પરષોત્તમભાઇ પટેલ તેમજ મંત્રી તરીકે સિથાણના સ્વ. બાલુભાઈ કાલિદાસ પટેલે મંડળની જવાબદારી સાંભળી.

૧૯૫૮ માં હાલમાં જ્યાં કૃષિમંગલનું મકાન છે તે બાંધકામ વાળી જગ્યા ખરીદી ત્યાં સુરતમાં અભ્યાસ કરતા સમાજનાં બાળકો માટે છાત્રાલયની શરૂઆત કરવામાં આવી.
જુન, ૧૯૮૦ માં શ્રી જગુભાઈ ગોવિંદજી પટેલ મંડળ નાં પ્રમુખની જવાબદારી સાંભળી તેમજ છાત્રાલયનાં જુના બિલ્ડીંગની જગ્યાએ નવા સમાજભવન તેમજ સમાજનાં સભ્યોને રેહઠાણ માટે ફ્લેટના બાંધકામની યોજના રજુ કરી.

તા. ૨૬-૪-૧૯૮૨ નાં રોજ શ્રી મોતીરામભાઇ ચાહવાળાનાં વરદહસ્તે છાત્રાલયનાં જુના મકાનની જગ્યાએ સમાજભવનનાં બાંધકામનું ખાતમહૂર્ત કરવામાં આવ્યું.
જાન્યુઆરી ૧૯૮૪માં હરિદ્વાર નિવાસી પૂજ્ય સ્વામીશ્રી રામસ્વરૂપજીનાં આશિર્વચનથી સમાજનાં વિશાળ સમૂહની હાજરીમાં સમાજભવનનું મંગલાચરણ થયું.
જે આચાર્યશ્રી વિષ્ણુપ્રસાદજીના નામકરણથી "કૃષિમંગલ" તરીકે ઓળખ પામ્યું. અહીંથી સમાજનાં અગ્રણીઓએ સમાજ ઉત્થાનની કેડી કંડારી.

શ્રી લાલચુડા કડવા પાટીદાર ટ્રસ્ટ

કડવા પાટીદાર કેળવણી મંડળની પ્રવૃતિઓના સહયોગ માટે જુન ૧૯૮૩ નાં રોજ શ્રી લાલચુડા કડવા પાટીદાર ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી. શરૂઆતના વર્ષોમાં સ્વ. શ્રી જગુભાઈ પટેલે પ્રમુખપદ સાંભળ્યું, બાદ ૧૯૮૫ થી શ્રી જયંતિભાઈ પટેલે લાંબા સમય સુધી પ્રમુખપદે રહી ટ્રસ્ટના સંચાલનની જવાબદારી સંભાળી. સમાજમાંથી કુરિવાજો નાબુદી, મરણોત્તર પ્રાર્થના સભા સમાજ દ્વારા આયોજીત સમૂહ લગ્નો, તેમજ કૃષિમંગલ હોલની કેટરિંગની  વ્યવસ્થાનું સંચાલન જેવા અનેક સમાજ હિતોપયોગી કાર્યો મંડળ સાથે સંકલનમાં રહી પૂર્ણ કર્યા. સમાજનાં આર્થિક રીતે નબળા કુટુંબોને મેડિકલ સહાય તેમજ વિધુર, વિધવા અશકતોને નાણાંકીય સહાયની યોજનાનું અસરકારક સંચાલન કર્યું. તા. ૨૬-૧૧-૨૦૧૪ નાં રોજ શ્રી લાલચુડા કડવા પાટીદાર ટ્રસ્ટનું લાલચુડા કેળવણી મંડળમાં વિલિનિકરણ થયું.


શ્રી લાલચુડા કડવા પાટીદાર મહિલા મંડળની સ્થાપના

સ્ત્રી-શક્તિના પ્રદાન વિના કોઈપણ કાર્ય અધુરું જ ગણાય. સમાજભવનનાં નિર્માણની સાથે જ સમાજમાં જાગૃતિ આવી. લોકોમાં કંઈક સારું કરવાની ધગશ અને ઉત્સાહની ભરતી આવી. વિશેષ કરીને મહિલા જાગૃતિ અને સાંજના કુરિવાજોની નાબુદી માટે મહિલા સંગઠન બને એવી એક અપેક્ષા વ્યક્ત થઇ. ગામડાની બહેનો પણ સમાજની પ્રવૃત્તિઓમા સામૂહિકરૂપે રસ લેતી થાય તે આશય સાથે તા. ૩૦-૭-૧૯૮૪ ના રોજ શ્રી લાલચુડા કડવા પાટીદાર મહિલા મંડળની સ્થાપના કરવામાં આવી. જેના પ્રમુખપદે શ્રીમતી લલિતાબેન ઈશ્વરભાઈ પટેલ (કારેલી) તેમજ મંત્રી તરીકે શ્રીમતી મંજુલાબેન હરેશભાઇ પટેલ (સુરત) જવાબદારી સાંભળી. મહિલા સંઘઠનને  કાર્યરત કરવાની જવાબદારી ઉપાડી. મંડળની અનેક સામાજિક પ્રવૃતિઓમાં પણ મહિલા મંડળ સક્રિયપણે ભાગ લઇ પ્રવૃત્તિની સફળતામાં પોતાનું યોગદાન આપ્યું.
 

ઉમાવાણી પ્રકાશન

સમાજની લાગણીઓ તેમજ વિચારોના આદાનપ્રદાન  માટે તેમજ સમાજનાં સંગઠન દ્વારા થતી પ્રવૃતિઓથી લોકો માહિતગાર બને તેમજ મંડળ/ટ્રસ્ટ  કે મહિલા મંડળ દ્વારા આયોજીત કાર્યક્રમોમાં ભાગ લઇ શકે તે માટે આવી કાર્યપ્રવૃત્તિઓ ની માહિતી મળે, સમાજનાં ચિંતકો દ્વારા વિવિધ વિષયો પરનાં વિચારોથી લોકો માહિતગાર બને તે હેતુસર ૧૯૮૫ માં સમાજનું મુખપત્ર ઉમાવાણીનું પ્રકાશન હાથ ધરવામાં આવ્યું.


શ્રી લાલચુડા કડવા પાટીદાર યુવા મંડળની સ્થાપના

મંડળ ટ્રસ્ટ તેમજ મહિલા મંડળની પ્રવૃત્તિઓને ગતિમાન રાખવા તેના સંચાલનને સમર્થ ચાલકબળ પુરા પાડવા તેમજ ભવિષ્યનાં સંચાલિત માટે યુવા નેતૃત્વ તૈયાર થઇ શકે તે માટે સપ્ટેમ્બર૧૯૯૧ નાં રોજ યુવા મંડળની સ્થાપના કરવામાં આવી. અલગ બંધારણ અને ઉદ્દેશો સાથે યુવાઓમાં શિસ્ત, સંસ્કાર અને નેતૃત્વનાં બહુમુખી ગુનો ખીલે તેમજ ક્રિકેટ, વોલીબોલ, સેમિનાર તેમજ ચર્ચા ગોષ્ઠિ દ્વારા સમાજને શિક્ષણ સંસ્કારથી સજ્જ ચારિત્ર્યવાન નેતૃત્વ મળે તે ઉદ્દેશો સાથે તેઓએ વિવિધ પ્રવૃતિઓનું આયોજન પણ હાથ ધર્યું.
 

પરિવાર પરિચય દર્શન

શ્રી લાલચુડા કડવા પાટીદાર ટ્રસ્ટનાં સંચાલન હેઠળ જાન્યુઆરી ૧૯૯૦ માં પ્રથમવાર સમાજનાં બધાજ કુટુંબોની માહિતી સરળતાથી મળી રહે તે હેતુસર “પરિવાર પરિચય દર્શન” નામની ડિરેક્ટરી શ્રી રણછોડભાઇ પટેલ(પરબ)નાં સંકલન કાર્ય હેઠળ,  તથા શ્રી લાલચુડા કડવા પાટીદાર  યુવક મંડળનાં સંચાલન હેઠળ ૨૦૦૮ માં “પરિવાર દર્શન નામાવલી” નામની ડિરેક્ટરી શ્રી ધનસુખભાઇ પટેલ(ઊંભેળ)નાં સંકલન કાર્ય હેઠળ પ્રસિધ્ધ કરવામાં આવેલ.
આજે આપણે લાલચુડા કડવા પાટીદાર સમાજની વેબસાઈટ દ્વારા જે ડિજિટલ ડિરેક્ટરી તેમજ સમાજની વેબસાઇટ બનાવાનું કાર્ય ભાઈ શ્રી કીર્તિભાઇ પટેલ(પાસોદરા) તેમજ શ્રી ચંદ્રેશભાઇ પટેલે(અઠવા ઉમરા) ઉપાડ્યું છે. તે ૨૧મી સદીની ઇન્ફોરમેશન ટેક્નોલોજીનું પરિણામ છે. જેના કારણકે હવે આપણે સમાજની દરેક પ્રવૃત્તિની વિગતો, નિયમો, ધારાધોરણ, ફોર્મ્સ વિગેરે ઘરબેઠા આપણા મોબાઈલ કે કમ્પ્યુટર પર જોઈ શકીશું .તેમજ દરેક પરિવારની માહિતી પોતે અપડેટ કરી શકાશે. હા ભાઈ, સમયની સાથે તેનો બની તેના રાહે ચાલનારનું જ અસ્તિત્વ ટકી શકશે એવું અત્યારે લાગી રહ્યું છે.


ઉમામંગલનું નિર્માણ

શ્રી લાલચુડા કડવા પાટીદાર સમાજ મહદ્દ અંશે કામરેજ અને ઓલપાડ તાલુકા વસવાટ કરે છે. સમય ની સાથે સમાજ કૃષિ વ્યવસાય અને અન્ય નાના મોટા વેપાર ઉદ્યોગોમાં પોતાની નિપુણતા અનુસાર પ્રગતિ કરતો રહ્યો છે. પરંતુ સમાજ જીવન એ એનું મહત્વનું અંગ છે. સામાજિક સારા-નરસા પ્રસંગોની ઉજવણી કે કાર્ય માટે તેને હોલ-ભવન કે પાર્ટીપ્લોટની જરૂર પડે છે. કૃષિમંગલ સુરતમાં આવેલ છે. તેને લઇ દરેક પ્રસંગે અહીં આવવું શક્ય બનતું નથી તેથી કામરેજ વિસ્તારમાં અગ્રણીઓ દ્વારા કામરેજ ચાર રસ્તા ખાતે જગ્યા લઇ સમાજભવન નાં નિર્માણ માટેના ચક્રો ગતિમાન થયા. તેમજ તેના ફળ સ્વરૂપ ૧૯૯૮ માં કામરેજ ચાર રસ્તા ખાતે શરૂઆતના રૂ! ૬૫ લાખના ખર્ચે ઉમામંગલનું લોકાર્પણ શક્ય બન્યું. જેને લઇ સમાજનાં બહોળા વર્ગને માટે શૈક્ષણિક - સામાજિક - મહિલા તેમજ યુવા પ્રવૃત્તિને એક સુંદર સંકુલ પ્રાપ્ત થયું. આજે તો એ ભવન વિવિધ પ્રવૃતિઓથી ધમધમી રહ્યું છે.


About Digitalization

સ્નેહિ આદરણીય વડીલો, બહેનો તેમજ યુવામિત્રો શ્રી લાલચુડા કડવા પાટીદાર સમાજ આજની ૨૧મી સદીના Information & Technology ના સમયમાં Communication માટે મોબાઈલ ફોન, વોટસેપ - ફેસબુક - ઈન્ટરનેટ જેવા માધ્યમથી વ્યક્તિ-વ્યક્તિને રૂબરૂ મળ્યા વિના પણ તેનાં સંપર્કમાં રહી શકે છે. પરંતુ વ્યક્તિ એ સમાજનું એક અંગ છે. સમાજ વિનાનો વ્યક્તિની ખાસ ઓળખ બનતી નથી. તેવા સમયે internet નાં માધ્યમથી જો કોઈ એક સ્થળે કે એક માધ્યમ દ્વારા સારા સમાજની માહિતી કોઈ ચોક્કસ સ્વરૂપમાં એકત્ર કરીને બધાને સુલભ કરી શકાય તો સમાજની વ્યક્તિઓ એક બીજાની માહિતી મેળવી તેની નજીક આવી શકે.

ભૂતકાળમાં પણ આપણા સમાજના સંનિષ્ઠ આગેવાનો દ્વારા આવા પ્રયાસ "પરિવાર નામાવલી" નાં સ્વરૂપે ચોપડી બહાર પાડી કરવામાં આવ્યા હતા. જે આજે પણ આપણને ઉપયોગી નીવડે છે. પરંતુ આ વેબસાઈટ online પરિવાર નામાવલી ઉપરાંત " લાલચુડા કડવા પાટીદાર સમાજ " ની બધીજ માહિતી આપસૌને ઈન્ટરનેટ દ્વારા થઇ શકે તે રીતે આપણી સમક્ષ રજુ કરવાનો એક નાનકડો પ્રયાસ છે. જેમ જેમ વધુ અને વધુ સૂચનો મળશે, જરૂરિયાત ઊભી થશે તેમ તેમ તેમાં સુધારા કરતા રહીશુ.

આ વેબસાઈટમાં દરેકને તેમનાં પરિવારની માહિતીમા સુધારા કરવાની સુવિધા પણ ઉપલબ્ધ છે. માટે મારી શિક્ષીત યુવા ભાઈઓ અને બહેનોને નમ્ર વિનંતી છે કે આપ સમયાંતરે જરૂરી સુધારા કરી પરિવાર ની માહિતીને વધુ સારી રીતે update રાખી શકશો, માટે આપના સહકાર ની આમાં અપેક્ષા રાખીએ છીએ.સમગ્ર વિશ્વમાં રહેતા લાલચુડા કડવા પાટીદાર સમાજનાં પરિવારને આ નામાવલીમાં સમાવવાની કોશીષ કરી છે. જો તેમાં સંજોગવસાત કોઈ નામ રહી ગયા હોય તો તે નામ રજિસ્ટર કરી ઉમેરી શકવાની સુવિધા છે.

પરિવાર નામાવલીનાં આ કાર્યમાં શ્રી લાલચુડા કડવા પાટીદાર કેળવણી મંડળ, શ્રી લાલચુડા કડવા પાટીદાર મહિલા મંડળ તેમજ શ્રી લાલચુડા કડવા પાટીદાર યુવક મંડળનાં તમામ હોદ્દેદારો, કમિટી સભ્યો તથા આમંત્રિત સભ્યોનો સહકાર બદલ ખુબ ખુબ આભાર. વિદેશમાં રહેતા આપણા પરિવારજનો એવા શ્રી ધર્મેશભાઈ પટેલ (USA), શ્રી મુકેશભાઇ પટેલ (કેનેડા) કે જેમણે વિદેશની માહિતી માટે કરેલા સહકાર બદલ ખુબ ખુબ આભાર.

માહિતી સંકલનનાં આ કાર્યમાં શ્રી સુનિલભાઈ પટેલ, શ્રી સુમનભાઇ પટેલ, શ્રીમતી નિતાબેન પટેલ, શ્રી આશિષ ભાઈ પટેલ, દરેક સંસ્થાના સ્ટાફ ભાઈઓનો તેમજ નામી અનામી તમામ વ્યક્તિકે જેમણે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આ કાર્યમાં સહયોગી થયા હોય તેમનો ખુબ ખુબ આભાર.

સમાજની સંલગ્ન સંસ્થાઓ, યુવામિત્રો અને વડીલો તરફથી મળેલ સાથ સહકાર અને સૂચનો માટે અમે એમના પ્રત્યે આભરની લાગણી વ્યક્ત કરીએ છીએ.

 
લિં આપના વિશ્વાસુ,
કીર્તિ વી. પટેલ (પાસોદરા)
ચંદ્રેશ એમ. પટેલ (અઠવા ઉમરા)
હર્ષિલ એચ. પટેલ (કામરેજ)

We Work Togather

Our Activities
Kelavani Mandal
Kelavani Mandal

We help you to grow up your success business and solution for your impressive projects.

Yuvak Mandal
Yuvak Mandal

We help you to grow up your success business and solution for your impressive projects.

Mahila Mandal
Mahila Mandal

We help you to grow up your success business and solution for your impressive projects.