About Vidyamangal School
કેળવણી મંડળનો ઉદ્દેશ સમાજના બધા જ બાળકોને સુચારુ શિક્ષણ ખુબ જ ઓછા ખર્ચે મળે તેમજ બાળકોને સર્વાંગી વિકાસ થાય. બાળકોના શૈક્ષણિક વિકાસની સાથે જ બૌધ્ધિક, આત્મિક થાય તેમજ સાંસ્કૃતિક પ્રવૃતિઓ માટે સગવડતાપૂર્ણ મંચ મળે. બાળકોમાં સામુહિક ભાવના વધે તેમજ તેઓ એક સર્વાંગપૂર્ણ પ્રબુધ્ધ નાગરિક બને એવા શુભ આશયથી તા ૧૦-૧૨-૧૯૯૯ ના રોજ મંડળના પ્રમુખ સ્વ.શ્રી જગુભાઈ પટેલના વરદહસ્તે નવી પારડી, તા. કામરેજ ખાતે આવેલ મંડળની જગ્યાનું ભૂમિપૂજન કરી કેળવણીની સંસ્થાની સ્થાપનાનું મંગલાચરણ કરવામાં આવ્યું. તેમજ તા ૧૦-૦૬-૨૦૦૦ ના રોજ પરમપૂજ્ય સ્વામીશ્રી સચ્ચિદાનંદજીના આશિર્વચનથી શાળાની શરૂઆત થઇ.
img
Vidyamangal School Information
  • Category: Vidyamangal School
  • Status: Complete
  • Date: December 01, 2021

Quick Look of Vidyamangal School